દિપાવલી તથા નુતનવર્ષની દેશવાસીઓને શુભેચ્છા પાઠવતાં સાંસદ અહમદ પટેલ

Update: 2020-11-13 09:13 GMT

રાજયસભાના સાંસદ અને ઓલ ઇન્ડીયા કોંગ્રેસ કમિટીના ખજાનચી  અહમદ પટેલે દેશવાસીઓને દિપાવલી તેમજ નુતનવર્ષની શુભેચ્છાઓ પાઠવી છે.

સાંસદ અહમદ પટેલે તેમના શુભેચ્છા સંદેશામાં જણાવ્યું છે કે, દિપાવલી પર્વ એ પ્રજા જીવનનું ઉત્સવ રૂપ, પ્રતિકાત્મક અને પ્રેરણાદાયી પર્વ છે. ચોતરફ દેશમાં રાગ-દ્રેષ, વેરઝેર અને અરાજકતા પ્રર્વતી રહી છે. આ ઉપરાંત પ્રર્વતમાન સમયમાં કોરોના સંક્રમણની વૈશ્વિક મહામારીના કારણે સર્વત્ર સામાજીક અને આર્થિક કટોકટીની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે આ કપરો સમય પણ આ પર્વના પ્રભાવમાં શમી જાય અને લોકો સત્વરે સ્વસ્થ, તંદુરસ્ત અને ભયમુકત બની રહે તેવી કામના કરી છે. 

વધુમાં અહમદભાઇ પટેલે પ્રકાશનું આ દિપાવલી પર્વ તમામના જીવનમાં દિવ્યજયોતિની ચેતના પ્રજવલ્લિત કરે અને આમ પ્રજાના જીવનમાં સુખ, સમૃધ્ધિ અને ઉન્નતિ આવે તેમજ સમાજમાં સકારાત્મક વિચારધારા સાથે હતાશારૂપી અંધકાર દુર થઇ જયા અને ઓજસ- તેજસથી સર્વનું આવનારૂ નુતનવર્ષ સંપન્ન બને તેવી આ તબકકે સહદય શુભેચ્છાઓ પાઠવી છે. અંતમાં સર્વને દિપાવલી અને નુતન વર્ષ પર્વની ખુબ ખુબ શુભકામનાઓ..

Tags:    

Similar News