નેપાળી મજૂર પોતાના વતન પરત ફર્યા, ભારત સરકારનો માન્યો આભાર

Update: 2020-05-26 08:20 GMT

ભારત-નેપાળ બોર્ડર પર ફસાયેલા નેપાળી મજૂરોને લાંબા સમય પછી ઘરે પાછા ફરવાની તક મળી છે. જે બદલ નેપાળી મજૂરોએ ભારત સરકારનો આભાર માન્યો હતો.

ચંપાાવત જિલ્લા વહીવટ અને નેપાળ વહીવટ બંને નેપાળી નાગરિકોની સરહદ ક્રોસિંગ અંગે નિર્ણય લેવામાં અસમર્થ હતા. કારણ કે, ઉત્તરાખંડ સરકાર, જિલ્લા વહીવટ અને ગૃહ મંત્રાલય સાથે અનેક તબક્કાની વાતચીત બાદ આખરે નેપાળી નાગરિકોને ઘરે જવાની તક મળી હતી. આમ, નેપાળી નાગરિકો બે મહિનાથી જિલ્લા વહીવટીતંત્ર માટે આફત બની ગયા હતા.

તે જ સમયે, આ સમગ્ર મામલે, જિલ્લા ચંપાાવતના પોલીસ અધિક્ષકએ જણાવ્યું હતું કે, બંને સરકારની વાતચીત બાદ, બે હજાર નેપાળી સ્થળાંતર મજૂર મોકલવામાં આવી રહ્યા છે.

 આ અગાઉ સરહદ પર નેપાળ સરકાર વિરુદ્ધ અટવાયેલા નેપાળી મજૂરોએ ઉગ્ર પ્રદર્શન પણ કર્યું હતું.

Tags:    

Similar News