પાલેજની પ્રાથમિક કુમારશાળામાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ કાર્યક્રમ યોજાયો

Update: 2018-12-17 08:45 GMT

પ્રાથમિક કુમારશાળા પાલેજ ખાતે આજરોજ સોમવારે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભરૂચ દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ 2018 અંતર્ગત તાલુકા કક્ષાના શેરીનાટકનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભરૂચથી આવેલા કલાકારોએ સ્વચ્છતા બાબતે શાળાના છાત્રો સમક્ષ સુંદર નાટકો રજૂ કર્યા હતા. પાંચ કલાકારોએ નાટકો થકી સ્વચ્છતા બાબતે ખાસ તાકિદ કરી લોકોને સ્વચ્છતા વિશે જાગૃતિ લાવવા આહવાન કર્યુ હતું. આ પ્રસંગે પાલેજ ગ્રામપંચાયતના સરપંચ, તલાટી કમ મંત્રી, ભાજપના કાર્યકર સલીમ વકીલ, ગ્રામપંચાયતના સદસ્યો તમેજ શાળાના આચાર્ય ઇલ્યાસ દેગ તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

Similar News