વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સવારે 10 વાગ્યે કરશે રાષ્ટ્રને સંબોધન

Update: 2020-04-13 09:38 GMT

છેલ્લા ઘણા દિવસથી વડાપ્રધાન મોદી કોરોના અંગે રાષ્ટ્રજોગ સંબોધન કરશે તેવી ચર્ચાઓએ ખૂબ જ જોર પકડ્યું હતું. એવામાં વડાપ્રધાન કાર્યાલય તરફથી આ અંગે સત્તાવારની જાણકારી આપવામાં આવી છે કે વડાપ્રધાન મંગળવારે સવારે 10 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કરશે. કોરોના વાયરસના વધતા જતા વ્યાપને અટકાવવા માટે વડાપ્રધાન મોદીએ દેશમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી.

https://twitter.com/PMOIndia/status/1249620775679610880?s=20

કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે અને તેની પરિસ્થિતિ પર કાબુ મેળવવા

માટે અને વડાપ્રધાને 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી. પરંતુ અત્યારની

પરિસ્થિતિને જોતા આ લોકડાઉનને લંબાવવામાં આવે તેવી પૂર્ણ શક્યતાઓ છે. વડાપ્રધાન

મોદી મંગળવારે રાષ્ટ્રજોગ સંબોધન દરમિયાન લોકડાઉન અંગે આગળની રણનીતિ વિશે જાણકારી

આપી શકે છે.

Tags:    

Similar News