સાબરકાંઠા : પ્રાંતિજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણ માર્ગદર્શન અંતર્ગત અગ્રસચિવ જયંતિ રવિએ લીધી મુલાકાત
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગુજરાત રાજ્ય આરોગ્ય અને કલ્યાણ વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ મુલાકાત લીધી હતી.
સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગની સૂચના અનુસાર, પ્રાંતિજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ-19 રસીકરણ રીહર્સલ કાર્યક્રમનું નિરીક્ષણ કરવા ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ મુલાકાત લીધી હતી, ત્યારે અગ્રસચિવની સાથે ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગ કમીશ્નર જય પ્રકાશ શિવહરે, સ્ટેટ ઈમ્યુ ઓફિસર ર્ડા. નયન જાની, જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ તાલુકા બ્લોક હેલ્થના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.