જમ્મુ-કાશ્મીરમાં થયેલ અથડામણમાં સેનાએ 6 વર્ષીય બાળકના હત્યારા જાહિદ દાસને ઠાર માર્યો
શ્રીનગરના અનંતનાગ જિલ્લામાં બિજબેહરા વિસ્તારમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)ના એક જવાન અને 6 વર્ષના બાળકને મારનાર આતંકવાદી જાહિદ દાસને પોલીસે અથડામણ દરમિયાન ઠાર માર્યો હોવાની માહિતી સામે આવી છે.
મળતી માહિતી પ્રમાણે, ગત અઠવાડિયે અનંતનાગમાં બિઝબેહરા વિસ્તારમાં પડશાહી બાગ પુલની પાસે (CRPF)ની ટીમે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. જેમાં એક જવાન શહીદ થયો હતો અને 6 વર્ષના બાળકનું મોત થયું હતું.
હુમલા બાદ પોલીસે કટ્ટુરપંથી સમૂહ ઈસ્લામિક સ્ટેટ (IS-JK)ના આતંકવાદી જાહિદ દાનની એક તસવીર જાહેર કરી છે.
મંગળવારે અનંતનાગમાં બે અન્ય આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા હતા. ત્યારે તે સમયે જાહિદ દાસ નાસી છૂટ્યો હતો.