યુપી : લખનઉ-આગ્રા એક્સપ્રેસવે પર બસનો એસયૂવી સાથે ભીષણ અકસ્માત, 4 વ્યક્તિઓના મોત

Update: 2020-02-18 04:23 GMT

ઉત્તર પ્રદેશના જનપદ કાનપુરમાં બિલ્હૌર પાસે લખનઉ-આગ્રા એક્સપ્રેસ હાઇવે પર ફૉર્ચ્યૂનર(કાર) અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ભીષણ અકસ્માતમાં 4 લોકોનાં મોત નીપજયાં

છે.

પ્રાથમિક માહિતી મુજબ, બસ

ચાલકની બેદરકારીના પગલે બસ

ડિવાઇડર પાર કરીને સામેની બીજી લેનમાં ઘૂસી ગઈ હતી. અને સામેથી આવી રહેલી

ફૉર્ચ્યૂનર(એસયૂવી) સાથે ટકરાઈ ગઈ. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કૂચડો વળી ગયો.

આ દુર્ઘટનામાં ઘાયલ લોકોને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ બિહારા રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસ

આગ્રાથી બિહારના મુજફ્ફરપુર જઈ રહી હતી.આ દરમિયાન બસના ડ્રાઇવરને ઝોંકું

આવી જાત પુરપાટ વેગે

બસ ડિવાઇડર કૂદાવીને બીજી લેનમાં ઘૂસી ગઈ અને દિલ્હી તરફ જઈ રહેલી ફૉચ્યૂનર સાથે

ટકરાઈ ગઈ.

ઘટના

બાદ મૃતકોની ઓળખ હજુ સુધી નથી થઈ શકી.

Tags:    

Similar News