હજારો માઈલ દૂરથી ઉડીને આવતા પક્ષીઓની અલગ દુનિયા એટલે, વઢવાણા પક્ષી અભયારણ્ય…

વડોદરાથી માત્ર દોઢેક કલાકની મુસાફરી બાદ ડભોઈ તાલુકામાં આવેલા વઢવાણા પક્ષી અભયારણ્ય માટે એવું કહી શકાય કે, ‘યે નહીં દેખા તો કુછ નહીં દેખા..!’

Update: 2022-12-29 12:44 GMT

વડોદરાથી માત્ર દોઢેક કલાકની મુસાફરી બાદ ડભોઈ તાલુકામાં આવેલા વઢવાણા પક્ષી અભયારણ્ય માટે એવું કહી શકાય કે, 'યે નહીં દેખા તો કુછ નહીં દેખા..!' કારણ કે, 630 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું આ તળાવ હજારો માઈલ દૂરથી ઉડીને આવતા અવનવા પક્ષીઓનું અનેરૂ અને સુરક્ષિત વિશ્વ છે. 135થી વધુ જાતિના વિવિધ પક્ષીઓની આ અલગ દુનિયામાંથી વધારે જાતિના તો પ્રવાસી(યાયાવર) પક્ષીઓનો સમાવેશ થાય છે. અને આ જ શ્રેષ્ઠ સમય છે, વઢવાણા વેટલેન્ડની મુલાકાત લેવાનો.

આમ તો, અંદાજે 100 વર્ષ પહેલા સિંચાઈના હેતુથી વડોદરાના રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ આ તળાવનું નિર્માણ કરાવ્યું હતું. પરંતુ અત્યારે તો, એ પ્રવાસી પક્ષીઓ અને લોકો માટે પર્યટન સ્થળ બની ગયું છે. ડભોઇ શહેરના નાંદોદી દરવાજાથી સંખેડા તરફ જતા રસ્તા પર તમે ડાબી બાજુના વળાંક પર વાહન લો, એટલે તમને આસપાસના ખેતરોમાં જ અવનવા પક્ષીઓ અને તેનો કલરવ સાંભળીને નજીકમાં પક્ષી અભયારણ્ય હોવાની ગંધ આવી જાય. અને પછી, શોધતા-શોધતા તમે વઢવાણા પાસે આવેલા તળાવ સુધી પહોંચી જાવ, એટલે તમને દેશના અગત્યના જળપ્લાવિત વિસ્તાર (વેટલેન્ડ) તેમજ રામસર સ્થળના પણ દર્શન થઈ જ જાય.

Tags:    

Similar News