વિકએન્ડ કરફ્યુ : દિલ્હીમાં શુક્રવાર રાત્રે 10 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ કેજરીવાલે કરી જાહેરાત

Update: 2021-04-15 08:01 GMT

દિલ્હીમાં વીકએન્ડ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસકોન્ફરન્સ કરીને આ વિશે જાહેરાત કરી છે. જોકે વિકએન્ડ કર્ફ્યુમાં પણ જરૂરી સેવાઓ ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. વીકએન્ડ કર્ફ્યુ શુક્રવારે રાતે 10 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં લાગુ કરવામાં આવશે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઉપરાજ્યપાલ અનિલ બૈજલ વચ્ચે એક મહત્વની બેઠક થઈ હતી. દિલ્હીમાં હાલ પહેલેથી જ નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. જ્યાં વધારે કેસ છે ત્યાં કન્ટેન્ટમેન્ટ ઝોન પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. આટલા પ્રતિબંધો પછી પણ કેસ ઓછા નથી થઈરહ્યા.

Similar News