અંકલેશ્વર : જે.એન.પીટીટ લાયબ્રેરી ખાતે 7 નવેમ્બરે યોજાશે વર્ચુઅલ રંગોળી સ્પર્ધા

Update: 2020-10-20 12:13 GMT

અંકલેશ્વર ખાતે વર્ષોથી કાર્યરત જે.એન.પીટીટ લાયબ્રેરી ખાતે તારીખ 7 નવેમ્બરના રોજ વર્ચુઅલ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધાનો સમય બપોરના 3 થી સાંજના 5 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. સ્પર્ધામાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવાની અંતિમ તારીખ 5 નવેમ્બર નકકી કરવામાં આવી છે. લાઇફ વીથ કોવીડ-19 ની થીમ પર સ્પર્ધકોએ તેમના ઘરે રંગોળી તૈયાર કરવાની રહેશે. સ્પર્ધામાં ભાગ લેનારા દરેક સ્પર્ધકને ઇ- પાર્ટીસીપન્ટ સર્ટીફીકેટ આપવામાં આવશે. સ્પર્ધકોએ તૈયાર કરેલી રંગોળીનો અંતિમ વિડીયો 6352149070 નંબર ઉપર વોટસએપ કરવાનો રહેશે. સ્પર્ધાની વધુ વિગતો માટે મોબાઇલ નંબર 6352149070 અથવા 9427327617 પર સંપર્ક કરવા લાયબ્રેરીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Tags:    

Similar News