અંકલેશ્વર શહેરમાં આવેલ JN પીટીટ લાયબ્રેરી ખાતે તૃતીય સમર કેમ્પનું કરાયું આયોજન
અંકલેશ્વર શહેરમાં આવેલ JN પીટીટ લાયબ્રેરી ખાતે તૃતીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
છેલ્લા બે વર્ષથી અંકલેશ્વર શહેરમાં આવેલ જે.એન.પીટીટ લાયબ્રેરી ખાતે સમર કેમ્પનું આયોજન કરવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે પણ તૃતીય સમર કેમ્પનું સોમવારના રોજ પ્રારંભ કરવામાં આવ્યો હતો.
જેમાં જે.સી.આઈ.મહિલા પાંખના પ્રમુખ જાગૃતિબેન સાવલિયાના હસ્તે પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ કેમ્પમાં બાળકોને બાળવાર્તાઓ,અભિનય ગીત,કેલિગ્રાફી,યોગ પ્રશિક્ષણ સહિતની પ્રવૃતિઓ થકી બાળકોમાં રહેલી સુશુપ્ત શક્તિઓ શીખવાડાવામાં આવી હતી આ કેમ્પ પાંચમી મેં સુધી ચાલશે સદર કેમ્પમાં ટ્રસ્ટી શેહેરજાદ કાથાવાલા,લતાબેન શ્રોફ,નમ્રતાબેન અને શિક્ષક ભુપેન્દ્ર પટેલ તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.