અંકલેશ્વર તાલુકાના યુવાન સરપંચ તારીખ 12મી એપ્રિલની સાંજ થી રહસ્યમય રીતે ગુમ થયા છે પરંતુ આજદિન સુધી તેઓના કોઈજ સગડ ન મળતા સ્થાનિકોએ આક્રોશ રેલી યોજી હતી.
અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના યુવાન સરપંચ સતિષ સોમાભાઈ વસાવા ઉ.વ.35ના ઓ તારીખ 12મી ના રોજ સાંજે પોતાના મિત્ર નરેન્દ્ર સાથે મંદિર જવાનું કહીને નીકળ્યા બાદ રહસ્યમય રીતે ગુમ થયા હતા,અને તેઓની સઘન શોધખોળ બાદ પણ કોઈજ સગડ ન મળતા સતિષ વસાવા ની પત્નીએ ઉષાબેને શહેર પોલીસ મથકમાં ગુમ થયા અંગેની ફરિયાદ દર્જ કરાવી હતી.
જોકે ત્યારબાદ સતિષ વસાવાના મિત્ર નરેન્દ્ર વાળા પણ રહસ્યમય રીતે ગુમ થઈ જતા ઘટનાનું રહસ્ય વધુ ઘેરુ બન્યુ છે.પાંચ દિવસ બાદ પણ પોલીસ કોઈ નક્કર તપાસ ન કરી શકતા આખરે સરપંચ ના પરિવારો સહિત ગ્રામજનો મળીને ભરૂચ જિલ્લા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના પ્રમુખ ડિ.સી.સોલંકીના અધ્યક્ષ સ્થાને આદિવાસી એકતા જાગૃતિ સમિતિ દ્વારા અંદાડા થી આક્રોશ રેલી કાઢવામાં આવી હતી,આ રેલીમાં લોકો અંદાડા થી પગપાળા નીકળીને મામલતદાર કચેરી ખાતે પહોંચશે અને ત્યાં પહોંચીને આવેદન પત્ર આપીને જરૂરી તપાસની માંગ કરશે.