અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ ખાતે રવિવારની રાત્રે વરસેલા વરસાદ દરમિયાન હનુમાનજીના મંદિર ઉપર વીજ પડી હતી. જેના કારણે મંદિર ને નુકશાન પહોંચ્યુ હતુ.
અંકલેશ્વરના કોસમડી ગામે જય વીર હનુમાન મંદિર ભક્તો માટે આસ્થા સ્થાનક છે. રવિવાર ની રાત્રી એ વિજળી ના કડાકા ભડાકા સાથે વરસેલા વરસાદ માં આ મંદિર ઉપર વીજ પડી હતી.
જેના કારણે મંદિરના કળશ અને દિવાલને ભારે નુકશાન પહોંચ્યુ હોવાનું જાણવા મળ્યુ છે.જોકે કોઈ જાનહાની ન પહોંચતા સૌ સ્થાનિક રહીશો એ રાહત અનુભવી હતી.