અમરેલીનાં જાફરાબાદનાં લોઠપુર ગામે જુથ અથડામણનો બનાવ બન્યો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નિપજયુ હતુ. જ્યારે પાંચ વ્યક્તિઓ ઘાયલ થયા હતા.
બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને વનરાજ બદરૂભાઈ વાળા નામનાં વ્યક્તિને 108નાં ડોકટર્સ દ્વારા મૃત જાહેર કરાયો હતો. જ્યારે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોલીસ સુત્રોનાં જણાવ્યા અનુસાર લોઠપુર ગામે જુથ અથડામણનો બનાવ બનવા પામેલ હતો. જેમાં વનરાજભાઈ બદરુૂભાઈ વાળાનું મોત નિપજયુ છે.