ઇન્ડિયન પ્રિમિયર લીગની હરાજી : અગાઉ IPL ટીમોએ 71 ખેલાડીઓને રીલિઝ કર્યા

Update: 2019-11-16 16:48 GMT

આગામી 19 ડિસેમ્બરે થશે હરાજી

આવતા મહિને થનારી ઇન્ડિયન પ્રિમિયર લીગની હરાજી અગાઉ ક્રિસ લિન, ડેવિડ મિલર,  જયદેવ ઉનાડકટ, ક્રિસ મોરિસ સહિત 71 ખેલાડીઓને

તેમની  ફ્રેન્ચાઇઝીએ રીલિઝ કર્યા છે. ખેલાડીઓને રીલિઝ કરવા, ટ્રેડિંગ અને જાળવી રાખવા માટેનો

શુક્રવારનો અંતિમ દિવસ હતો. કુલ 127 ખેલાડીઓને ટીમોએ પોતાની પાસે રાખ્યા છે. જેમાં

35 વિદેશી ક્રિકેટર  સામેલ છે. કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ પાસે 19 ડિસેમ્બરે થનારી હરાજીમાં

42.70 કરોડ રૂપિયાની રકમ હશે. જે તમામ આઠ ટીમોમાં સૌથી વધુ છે.

બીસીસીઆઇએ તેના એક નિવેદનમાં કહ્યું હતું કે, કિંગ્સ ઇલેવન પંજાબ પાસે હરાજી માટે સૌથી વધુ સેલેરી

કેપ  ઉપલબ્ધ છે. જ્યારે  રોયલ ચેલેજર્સ બેંગલુરૂ પાસે સૌથી વધુ ખેલાડીઓની જગ્યા છે. જેમાં છ વિદેશી

ખેલાડીઓનુ સ્થાન સામેલ છે. અંતિમ સમય સીમા બાદ ચેન્નઇ સુપરકિંગ્સ પાસે સૌથી મોટી

ટીમ  છે.તે અનુસાર, આઠ ફ્રેન્ચાઇઝીમાં બેંગલુરૂએ સૌથી વધુ 12 ખેલાડીઓને રીલિઝ કર્યા છે. જ્યારે

સનરાઇઝર્સ  હૈદરાબાદે સૌથી ઓછા માત્ર પાંચ ખેલાડીઓને રીલિઝ કર્યા છે.તો રાજસ્થાને 11

ખેલાડીઓને રીલિઝ કર્યા છે. 

Similar News