કોંગ્રેસના ધારાસભ્યોની ઘર વાપસી,આણંદના રિસોર્ટમાં ઉતારો

Update: 2017-08-07 05:52 GMT

કર્ણાટકના બેંગ્લુરુનાં ઇગલટન રિસોર્ટમાં નવ દિવસ વિતાવ્યા બાદ કોંગ્રેસના 42 ધારાસભ્યોની ઘર વાપસી થઇ છે.વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પર તમામ ધારાસભ્યોએ ઉતરાણ કર્યું હતુ.અને ત્યાંથી આણંદનાં નિજાનંદ રિસોર્ટમાં રોકાણ કર્યુ છે.

રાજ્યસભાની ચૂંટણી તારીખ 8 ઓગષ્ટે યોજાશે,ચૂંટણી અગાઉ કોંગ્રેસના 6 ધારાસભ્યોએ પદ પરથી રાજીનામા આપ્યા બાદ કોંગ્રેસ દ્વારા 42 ધારાસભ્યોને બેંગ્લુરુ ખાતેના રિસોર્ટમાં લઇ જવામાં આવ્યા હતા.નવ દિવસનાં રોકાણ બાદ તમામ ગુજરાત પરત ફર્યા છે.અને હાલમાં આણંદનાં નિજાનંદ રિસોર્ટમાં તમામને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યા છે,તારીખ 8મી ઓગષ્ટે રાજયસભાની ચૂંટણી સમયે તમામ ધારાસભ્યોને મતદાન માટે લઇ જવામાં આવશે.

 

 

Similar News