ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચારમાં પીએમ મોદી 24 સભાઓ અને રોડ શો યોજશે

Update: 2017-12-02 06:49 GMT

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 3 ડિસેમ્બર રવિવારથી બે દિવસ માટે ગુજરાતનાં પ્રવાસે આવી રહ્યા છે. રવિવારે સવારે 10 : 30 કલાકે ભરૃચનાં આમોદ ખાતે ગુજરાત વિકાસ રેલી અને બપોરે સુરેન્દ્રનગર તેમજ સાંજે રાજકોટમાં ભાજપની પ્રચાર સભાઓ સંબોધીને મોડી સાંજે અમદાવાદ સ્થિતિ એસ.જી.વી.પી ગૃરૃકુળમાં સ્વામિનારાયણ સંપ્રદાયનાં હોસ્પિટલનું લોકાપર્ણ કરશે.

ગાંધીનગરમાં રવિવારે રાત્રી રોકાણ કર્યા બાદ વડાપ્રધાન મોદી સોમવારે સવારે ધરમપુર, ભાવનગર, જૂનાગઢ અને જામનગરમાં ઝંઝાવાતી પ્રચાર સભાઓને સંબોધશે.

જાણવા મળ્યા મુજબ ત્રણ અને ચાર ડિસેમ્બર પછી વડાપ્રધાન મોદી 6 થી 12મી ડિસેમ્બર દરમિયાન ત્રણ તબક્કે ચૂંટણી પ્રચાર માટે આવશે.

આ દરમિયાન તેમની 24 સ્થળોએ સભાઓનું આયોજન ચાલી રહ્યુ છે. 14મી ડિસેમ્બરે મતદાનનાં દિવસે પણ તેઓ અમદાવાદમાં મતદાન પણ કરશે.

Tags:    

Similar News