ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં બીજા તબક્કાનાં મતદાનમાં જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પોતાનાં ધર્મપત્ની સાથે મમતપુરા પ્રાથમિક શાળામા આવેલ મતદાન મથક પર મતદાન કર્યુ હતુ.
આ સમયે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યુ હતુ કે ગુજરાતમાં વિકાસની જ રાજનીતિ ચાલશે. જોકે રાહુલ ગાંધીએ તેમના પર કરેલ શાબ્દિક પ્રહાર અંગે કોઈ વ્યક્તિગત કોમેન્ટનો જવાબ ન આપવાનુ જણાવ્યુ હતુ.