પારિવારિક, કોમેડી, રોમાન્સ, એક્શન બાદ હવે મર્ડર મિસ્ટ્રી થકી ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે નવા અધ્યાયનો પ્રારંભ "રતનપુર" થી થશે.
પ્રો લાઈફ એન્ટરટેનમેન્ટ બેનર હેઠળની ફિલ્મ રતનપુર આગામી તારીખ 16મી માર્ચ 2018ને શુક્રવારનાં રોજ સિનેમા ઘરોમાં રિલીઝ કરવામાં આવશે. ગુજરાતી ફિલ્મ પણ અન્ય ભાષાની ફિલ્મોની હરોળમાં અંક્તિ થશે.
રતનપુર ફિલ્મમાં ફિલ્મ રસિકોને મર્ડર મિસ્ટ્રી થી ભરપુર મનોરંજન મળી રહેશે. દિગ્દર્શક વિપુલ શર્મા દ્વારા દિગ્દર્શિત ગુજરાતી રતનપુર ફિલ્મમાં જાણીતા અભિનેતા તુષાર સાધુ, અભિનેત્રી પ્રિયંકા તિવારી, વિશાલ વૈશ્ય, ઉદય ડાંગર, હરેશ ડાઘીયા, જય પંડયા, સુનિલ વાઘેલા, રિયા સુબોધ, શિવાની ભટ્ટે અભિનયનાં ઓજસ પાથર્યા છે.
Read More: ગુજરાતી ફિલ્મનાં પ્રવાહને વધુ વેગવંતો બનાવવા માટે આવી રહી છે ફિલ્મ "રતનપુર"
ફિલ્મમાં સંગીત જતીન પ્રતીકે આપ્યું છે, ફિલ્મનાં ગીતમાં લોકપ્રિય ગાયિકા સુનિધી ચૌહાણે સ્વર આપ્યો છે. કોરિયોગ્રાફર રાજીવ દિનકર, એક્શન ડાયરેક્ટર યુસુફ માસ્ટર અને પાર્થ હરિયાની, આર્ટ ડાયરેક્ટર મઝાર ખાન, ડાયરેકટર ઓફ ફોટોગ્રાફી રૂપાંગ આચાર્ય, અને પ્રશાંત ગોહેલ, પ્રોડયુસર કંટ્રોલર ફાલ્ગુન ઠાકોર, કોસ્યુમ ડિઝાઈનર પૌરવી જોષીની ટીમ દ્વારા ફિલ્મને સફળતાનાં શિખરે લઇ જવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી છે, જ્યારે પ્રો લાઈફ એન્ટરટેનમેન્ટનાં એમ એસ જોલી દ્વારા ફિલ્મને પ્રોડયુસ કરવામાં આવી છે.
ફિલ્મ પ્રોડયુસર એમ.એસ.જોલીએ એક વાતચીતમાં જણાવ્યું હતુ કે રતનપુર ફિલ્મની પ્રેરણા કેટલીક સત્ય ઘટનાઓથી મળી છે, અને ફિલ્મ સમાજનાં પ્રતિબિંબ સમાન છે. ફિલ્મમાં એક એક વસ્તુનું એટલી હદે ધ્યાન રાખવામાં આવ્યું છે કે ફિલ્મ જીવંત લાગી ઉઠે છે.