નર્મદા : એક સપ્તાહમાં ભયાનક આગ લાગવાની સર્જાઈ બીજી ઘટના, જાવલી ગામે 3 મકાનો થયા ભસ્મીભૂત
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના જાવલી ગામે અચાનક આગ ફાટી નીકળતા ત્રણ જેટલા
કાચા મકાનો ભસ્મીભૂત થઈ ગયા હતા.
મળતી માહિતી અનુસાર,
સાગબારા
તાલુકાના જાવલી ગામે અચાનક જ આગ ફાટી નીકળવાની ઘટના સર્જાઇ હતી. જેમાં એક સાથે
ત્રણ જેટલા કાચા મકાનો આગની ઝપેટમાં આવી જતા ભસ્મીભૂત થઈ ગયા હતા. ઉપરાંત ઘરની
બહાર વાડામાં બાંધેલા 8
જેટલા પશુઓ પણ
આગથી ભૂંજાયા હતા.
સમગ્ર બનાવની જાણ ગ્રામજનોને થતા જ લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. સતત પાણીનો
મારો ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. તો નજીકમાં ફાયર બ્રિગેડની કોઈ
સુવિધા ન હોવાના કારણે ત્રણેય મકાનોની ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી, ત્યારે નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં
છેલ્લા એક સપ્તાહમાં ભયાનક આગ લાગવાની બીજી ઘટના સર્જાઇ હતી. હાલ તો સમગ્ર બનાવમાં
સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.