હૈદ્રાબાદ રેપ વિથ મર્ડર કેસ તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વધી રહેલા
દુષ્કર્મનાં બનાવના વિરોધમાં ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા રેલ્વે સ્ટેશન બહાર ધરણા
પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઘરણા પ્રદર્શન થકી આમ આદમી
પાર્ટી દ્વારા માંગ કરાઈ છે કે આવા કેસમાં આરોપીઓને ૬ માસમાં જ ફાંસીની સજા થવી
જોઈએ. આ ધરણા પ્રદર્શનમાં આમ આદમી પાર્ટીનાં કે.પી.શર્મા,પ્રમુખ મુસ્તાક શેખ તેમજ કાર્યકરો
જોડાયા હતા.