ભરૂચ ખાતે તાલુકા પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા નિકળી મતદાર જાગૃતિ બાઇક રેલી

Update: 2019-04-15 12:44 GMT

લોકસભાની સામાન્ય ચૂંટણી તા.૨૩ ઍપ્રિલ ૨૦૧૯ નાં રોજ સવારે ૦૭:૦૦ થી સાંજે ૦૬:૦૦ વાગ્યા સુધી યોજાનાર છે. આ ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના મહાપર્વમાં જાડાય તે માટે મતદારોમાં જાગૃતિ લાવવા ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડથી તાલુકા પ્રાથમિક શાળાના શિક્ષકો તથા જિલ્લા શિક્ષણાધિકારીના સ્ટાફ ધ્વારા મતદાન જાગૃતિ બાઇક રેલી નિકળી હતી.

 

આ રેલી હોસ્ટેલ ગ્રાઉન્ડથી નિકળી પાંચબત્તી રેલ્વે સ્ટેશન કસક સર્કલ શીતલ સર્કલ કોલેજ રોડ કલેક્ટર કચેરી થઇ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પરત ફરી હતી.

Tags:    

Similar News