ભરૂચ: નંદેલાવ ખાતે ફૈથ કલેવરી સ્કૂલથી નંદેલાવ ગામ સુધી નિર્માણ પામનાર માર્ગનું ખાતમહુર્ત

Update: 2021-01-18 15:14 GMT

ભરૂચની ફેથ કેલવરી સ્કૂલથી નંદેલાવ તેમજ ચાવજગામના મુખ્ય માર્ગનું નવિનિકરણ કરવામાં આવશે. સરકાર દ્વારા નોન પ્લાન રોડના સમારકામની યોજના અંતર્ગત આ બન્ને રોડ માટે રૂપિયા 50 લાખની ફાળવણી કરવામાં આવી છે ત્યારે બન્ને માર્ગના કાર્યનું આજરોજ ભૂમિપૂજણ કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, નંદેલાવ ગામના સરપંચ રતિલાલ ચૌહાણ તેમજ સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આવતા એકમાસમાં બન્ને માર્ગનું કાર્ય સંપન્ન થાય એવો લક્ષ્યાંક રાખવામા આવ્યો છે.

Tags:    

Similar News