ભરૂચ રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર 8 નર્મદા નદી પરના દેશના સૌથી લાંબા કેબલ બ્રિજને સુંદર સાજશણગાર કરવામાં આવ્યો છે, રાત્રિ દરમિયાન બ્રિજનો નયનરમ્ય નજારો જોવા માટે લોકોની ભારે ભીડ ઉમટી હતી.
ભરૂચના નવનિર્મિત કેબલ બ્રિજનું તારીખ 7મી માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવશે, ત્યારે આ પ્રસંગને ઉત્સવની જેમ ઉજવવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
ખાસ કરીને બ્રિજને સુંદર લાઇટિંગ થી સજાવવામાં આવ્યો છે, તિરંગાના રૂપ ઉપરાંત રોશનીના ઝગમગાહટથી બ્રિજ ખુબજ આકર્ષિત લાગી રહ્યો હતો. અને ભરૂચ વાસીઓએ બ્રિજનો આ નજારો જોવા માટે અને પોતાના મોબાઈલના કેમેરામાં બ્રિજની એક તસવીરી ઝલક લઈને ખુશી વ્યક્ત કરી હતી.