લોકશાહી બચાવો અભિયાન હેઠળ ભાજપનાં વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાણા પ્રધાન યશવંત સિન્હા ૧૪મીથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.
૧૪મીએ સાંજે ૫.૩૦ વાગ્યે અમદાવાદનાં ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે તેઓ પ્રવચન આપશે. ત્યાર બાદ બીજા દિવસે ૧૫મીએ સુરત અને ૧૬મીએ રાજકોટમાં યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે.