પ્રથમ વન ડેમાં મળેલી હારના આઘાત માંથી બહાર આવીને ભારત આજે રમાનારી શ્રીલંકા સામેની વન ડેમાં જીતના ઈરાદા સાથે મેદાન પર ઉતરશે.
ભારત માટે આજરોજની વન ડે મુકાબલો કરો યા મરોનો બની રહેશે. ટીમ ઈન્ડિયાએ ત્રણ વન ડેની શ્રેણી જીવંત રાખવા માટે આજે મોહાલીમાં જીતવું જ પડશે. જ્યારે શ્રીલંકાને ભારતની ભૂમિ પર સૌપ્રથમ વન ડે શ્રેણી જીતીને ઈતિહાસ રચવાની તક છે.