રાજકોટ ; મમતા બેનરજી હાય હાય ના નારા સાથે ABVP ના કાર્યકર્તાઓ કર્યું પૂતળાનું દહન 

Update: 2018-09-25 14:53 GMT

રાજકોટ ના કાલાવડ રોડ પર કેકેવી ચોક ખાતે આજ રોજ ABVP ના કાર્યકર્તાઓ એ મમતા બેનરજી હાય હાય ના નારા લગાવી તેના પૂતળા નું દહન કર્યું હતું.

પશ્ચિમ બંગાળની યુનિવર્સીટી મા પ્રોફેસરની ભરતીમા ઉર્દુ શિક્ષકો ની ભરતીનો વિરોધ કરી રહેલા ABVP ના કાર્યકરો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં ૨ કાર્યકર્તાઓના મોત નિપજ્યા હતા.ABVP ના બે કાર્યકર્તાના મોત બાદ સમગ્ર દેશમાં ઠેર ઠેર ABVP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામા આવી રહ્યુ છે. જે અંતર્ગત રાજકોટમાં પણ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકત્ર થઈ મમતા બેનરજી ના પૂતળાનું દહન કરી પોતાનો રોષ પ્રગટ કર્યો હતો.

Similar News