રાજ્યમાં ચૂંટણીને લઈને રાજકીયપક્ષો દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યુ છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અત્યાર સુધીની સૌથી મોટી ચૂંટણીલક્ષી જાહેરાત કરી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતનાં 25 લાખ ખેડૂત પરિવારોને વ્યાજના ચક્કરમાંથી મુક્ત કરવા સરકાર ખેડૂતોને ખેતી માટે 3 લાખની લોન આપવાની જાહેરાત કરી હતી. અને લોન પર લેવાતું 7% વ્યાજ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ભોગવશે તેમ તેઓએ જણાવ્યું હતુ.
વધુમાં ખેડૂતોને વ્યાજ વગરની લોન આપવાની જાહેરાત સીએમ રૂપાણીએ કરી હતી. રૂપાણીએ ખેડૂતો માટે સરકારની તિજોરી ખુલ્લી મૂકવાની જાહેરાત પણ કરી હતી.