વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 અને 22 માર્ચેના રોજ ગુજરાતની મુલાકાતે

Update: 2020-03-07 03:45 GMT

અમદાવાદ, વડોદરા, સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને જૂનાગઢ ખાતેના કાર્યક્રમોમાં આપશે હાજરી

દેશના પીએમ નરેન્દ્ર મોદી

21 અને 22 માર્ચેના રોજ બે દિવસના

ગુજરાતની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ અમદાવાદ, વડોદરા, સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને જૂનાગઢ ખાતેના

કાર્યક્રમોમાં હાજરી આપશે. આ મુલાકાત દરમિયાન રાજ્ય સરકારની દિવસે ખેડૂતોને વીજળી

આપવાની યોજના તથા અમદાવાદની યુએન મહેતા હાર્ટ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે.

બે દિવસના આ પ્રવાસ દરમિયાન નરેન્દ્ર મોદી

ગાંધીનગર રાજભવન રોકાશે અને રાત્રિના સમયે રાજ્યના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત પણ

કરશે. તે ઉપરાંત વડોદરામાં કેન્દ્ર સરકારની કન્સ્ટ્રક્શન મજૂરો તથા અન્ય

મજૂરો ઉપરાંત આવાસ યોજનાને લગતાં કાર્યક્રમોનું લોંચિંગ પણ વડાપ્રધાનના હાથે

કરવામાં આવશે. ત્યારબાદ તેઓ કેવડિયા કોલોની ખાતે આવેલાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં

ઊભાં કરાયેલાં નવા પ્રોજેક્ટ્સની પણ મુલાકાત લેશે.


Tags:    

Similar News