Connect Gujarat
Featured

અંકલેશ્વર : પાનોલીની કેમિકલ કંપનીમાં લાગી ભીષણ આગ, અંકલેશ્વર-પાનોલીના ફાયર ફાઇટરો દોડ્યા

અંકલેશ્વર : પાનોલીની કેમિકલ કંપનીમાં લાગી ભીષણ આગ, અંકલેશ્વર-પાનોલીના ફાયર ફાઇટરો દોડ્યા
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક પાનોલી જીઆઈડીસીની સિડની ફોર્મ્યુલેશન કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. જેમાં 5થી વધુ ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે હાલ રસાયણિક પ્રક્રિયા દરમ્યાન આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલ સિડની ફોર્મ્યુલેશન કંપનીમાં બુધવારના રોજ બપોરના સમયે રસાયણિક પ્રક્રિયા દરમ્યાન એકાએક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને હવામાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. જોકે આગ વિકરાળ બનતા આગની ચપેટમાં કંપનીનું ગોડાઉન પણ આવી ગયું હતું.

સમગ્ર બનાવની જાણ થતા જ અંકલેશ્વર DPMC અને પાનોલીના 5થી વધુ ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોચ્યા હતા. જેમાં પાણી તેમજ ફોર્મનો મારો ચલાવી લગભગ 1 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ તરફ અંકલેશ્વર તાલુકા પોલીસ, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને સેફટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓની ટીમ પણ ઘટના સ્થળે પહોચી તપાસ ચલાવી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઇ ન હતી. પરંતુ રાસાયણિક પ્રક્રિયા દરમ્યાન સ્પાર્ક થતા આગ લાગી હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

Next Story