ભરૂચ : ઝનોર ગામેથી ગાંજાના જથ્થા સાથે 2 ઈસમો ઝડપાયા, SOG પોલીસે રૂ. 1.15 લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો

New Update
ભરૂચ : ઝનોર ગામેથી ગાંજાના જથ્થા સાથે 2 ઈસમો ઝડપાયા, SOG પોલીસે રૂ. 1.15 લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો

ભરૂચ જિલ્લાના ઝનોર ગામ નજીકથી ઇકો કારમાં લઈ જવાતા ગાંજાના જથ્થા સાથે SOG પોલીસે 2 ઇસમોની ધરપકડ કરી છે. જેમાં કુલ કિંમત રૂપિયા 1.15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચ SOG પોલીસ મથકનો સ્ટાફ એટીએસ ચાર્ટર મુજબના પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન ઝનોર ગામથી ધર્મશાળા ગામ જવાના માર્ગ ઉપર GJ 16 BB 6346 નંબરની ઇકો કાર આવતા પોલીસે તેને થોભાવી હતી, ત્યારે કારમાં તપાસ કરતા તેમાંથી 2 કિલો 415 ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં પોલીસ દ્વારા ગાંજાનો જથ્થો, ઇકો કાર તેમજ 2 મોબાઈલ ફોન મળી કુલ કિંમત રૂપિયા 1.15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

સમગ્ર મામલે પોલીસે વલણ ગામના પાદરી ફળિયામાં રહેતા જાવેદ ઉસ્માન ફૂડ પટેલ અને ઇનાયત યુનુસ જમાદારની ધરપકડ કરી બન્ને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સહિતની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Read the Next Article

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પતિની ધરપકડ

New Update

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

સ્લગ : હત્યારો પતિ પોલીસ ગિરફ્તમાં..!

ભવનાથ વિસ્તારમાં રહેતા પરિવારનો માળો વિખાયો

દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચેની માથાકૂટ

ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ઢીકાપાટુનો માર માર્યો

પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ નિપજતા ચકચાર

પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નંદાણા ગામથી જુનાગઢના ભવનાથ વિસ્તારમાં આવી વસવાટ કરતાં પરિવારનો માળો વિખાયો છે. ભવનાથ વિસ્તારમાં પતિ રાજેશ ચાવડા સાથે રહેતી પત્ની મલુબેનને પોતાની દીકરીના ભણતરની ચિંતા હતીત્યારે દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી. આ દરમ્યાન ઉશ્કેરાયેલા પતિએ પત્ની ઉપર હુમલો કર્યો હતો. જેમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીને હોસ્પિટલ લઈ ગયા બાદ તેણીનું મૃત્યુ થયુ હતું. અગાઉ પણ પતિ રાજેશને પોતાની પત્ની સાથે માથાકૂટ થતીત્યારે બન્ને અલગ અલગ રહેતા હતા. જોકેસમાજના આગેવાનોએ બન્ને વચ્ચે સમાધાન કરાવતા તેઓએ ફરી સાથે રહી પોતાનો સંસાર ચલાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ બન્ને વચ્ચે થયેલા ઝગડામાં સંસાર ચાલ્યો નહીંઅને હાલ પોતાની દીકરી માતા વિનાની નોધારી બની ગઈ છે. સમગ્ર મામલે ભવનાથ પોલીસે હત્યારા પતિ રાજેશ ચાવડાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.