ભરૂચ : રાજપારડી ગામના દંપતીએ આપી કોરોનાને મ્હાત, પુષ્પવર્ષાથી કર્યું સ્થાનિકોએ સ્વાગત
BY Connect Gujarat28 Jun 2020 10:02 AM GMT
X
Connect Gujarat28 Jun 2020 10:02 AM GMT
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામના તબીબ અને તેમના પત્નીએ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફરતા સ્થાનિક રહીશોએ પુષ્પવર્ષા કરી તેમનું સ્વાગત કર્યું હતું.
મળતી માહિતી અનુસાર, ઝઘડીયા તાલુકાના રાજપારડી નગરમાં ખાનગી દવાખાનું ચલવતા ડૉ. શૈલેષ દોશી અને તેમના પત્નીને કોરોના પોઝિટિવ આવતા તેઓ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, જ્યાં ગઈકાલે તેઓના બધાં રિપોર્ટ નેગેટીવ આવતા તેઓને વડોદરાની ખાનગી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, ત્યારે તેઓ પોતાના ઘરે રાજપારડી પરત ફરતા સોસાયટીના સ્થાનિક રહીશોએ પુષ્પવર્ષા કરી તબિબ દંપતિનું ભવ્ય સ્વાગત કર્યું હતું. જોકે કોરોનાને મ્હાત આપી તબીબ અને તેમના પત્ની પોતાના ઘરે પરત ફરતા નગરમાં ખુશીની લાગણી છવાઈ હતી.
Next Story