ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકના નહાર ગામ નજીક મારુતિ વાન પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇજાગ્રસ્ત એક યુવકનું કરૂણ મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસારભરૂચ જિલ્લાના જંબુસર તાલુકના નહાર ગામ નજીક મારુતિ વાનને અકસ્માત નડ્યો હતો. દહેગામના રહેવાસીની મારૂતિ વાન પલટી મારી જતાં આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ મારુતિ વાન રોડની બાજુમાં આવેલ ખાડી વિસ્તારમાં ફસડાઈ પડી હતી. આ અકસ્માતમાં મારુતિ વાનમાં સવાર દહેગામના 19 વર્ષીય યુવક ફરીદ સાદિકને માથાના ભાગે ઇજા પહોચી હતી. જોકેગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકનું કરૂણ મોત નીપજ્યું હતું. બનાવના પગલે પોલીસે અકસ્માતે મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફઆકસ્મિક મોતની ઘટનાના પગલે દહેગામમાં પણ શોકની લાગણી પ્રસરી જવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કેચાલક ફરીદ સાદિક પોતાની મારુતિ વાન લઈને ગામડાઓમાં ફેરીનો ધંધો કરવા નીકળ્યો હતો. આ દરમિયાનકોઈ કારણોસર તેણે વાનના સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતોજેના પરિણામે વાન રોડ પર પલટી મારી ગઈ હતી.