• જંબુસર સ્થિત BAPS  સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજન

  • ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કરાયું આયોજન

  • ભરૂચ ભાજપ દ્વારા સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન કરાયું

  • મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો-કાર્યકરો ઉપસ્થિત રહ્યા

 ભરૂચ જિલ્લાના જંબુસર સ્થિત BAPS  સ્વામિનારાયણ મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના જંબુસરમાં BAPS  સ્વામિનારાયણ મંદિર ખાતે ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના અઘ્યક્ષસ્થાને ૧૫૦-જંબુસર વિધાનસભાનું સક્રિય સદસ્ય સંમેલન યોજાયું હતુંજ્યાં મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કર્યા બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

આ પ્રસંગે આવેલા ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીજીલ્લા પ્રભારી અશોક પટેલમહામંત્રી ફતેસિંહ ગોહિલધારાસભ્ય ડી.કે.સ્વામીપૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણાજંબુસર શહેર ભાજપ પ્રમુખ મનન પટેલતાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ સહિત મોટી સંખ્યામાં સક્રિય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.