ભરૂચ : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ, લોકસેવાના સહભાગી થવા લોકોએ કર્યું રક્તદાન
BY Connect Gujarat5 May 2020 10:35 AM GMT
X
Connect Gujarat5 May 2020 10:35 AM GMT
ભરૂચ શહેરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
રક્તદાનથી ફક્ત દર્દી જ નહીં પરંતુ સમાજને પણ મદદરૂપ થવાય છે, ત્યારે હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીના કારણે લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે ભરૂચના સેવશ્રમ હોસ્પીટલના કમ્પાઉન્ડમાં આવેલ રેડક્રોસ બ્લડ બેન્ક ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પ્રેરિત ડૉ. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ, ભરૂચ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન શિબિર દરમ્યાન મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી એકરૂપે લોકડાઉનમાં થતી લોકસેવાના સહભાગી થવા માટેનું સુંદર કાર્ય હાથ ધર્યું હતું.
Next Story