Connect Gujarat
ગુજરાત

ભરૂચ : બ્રહ્માકુમારીઝ અનુભૂતિ ધામ ઝાડેશ્વર દ્વારા લોકડાઉનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને લીંબુ શરબતનું વિતરણ કરાયું

ભરૂચ : બ્રહ્માકુમારીઝ અનુભૂતિ ધામ ઝાડેશ્વર દ્વારા લોકડાઉનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને લીંબુ શરબતનું વિતરણ કરાયું
X

અત્યારે ચાલી રહેલા કોરોનાવાયરસ સમગ્ર

દેશ અને વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે જેને લઇ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર

દ્વારા બહાર પાડેલા લોકડાઉનને લઈને દેશના સમગ્ર રાજ્યમાં પોલીસ બંદોબસ્ત ચુસ્ત પણે

ગોઠવી દેવામાં આવ્યો છે.

પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઇશ્વરીય

વિશ્વ વિદ્યાલય અનુભૂતિ ધામ દ્વારા કાળઝાળ ગરમીમાં રાહતના પગલે પોલીસ કર્મીઓની

સેવા કાર્ય ખૂબ જ સુંદર અને નિસ્વાર્થ ભાવે કરી રહ્યા છે. બ્રહ્માકુમારી ઝાડેશ્વર

સેન્ટર દ્વારા તમામ પોઇન્ટના પોલીસ કર્મચારીઓને લીંબુ શરબતનું વિતરણ ઝાડેશ્વર

બ્રહ્માકુમારીઝ બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું. જેઓએ ઝાડેશ્વર ચોકડી, કશક, શક્તિનાથ, નર્મદા ચોકડી, જેવા પોઇન્ટો

પર લીંબુ સરબતનું વિતરણ કર્યું હતું.

Next Story