ભરૂચમાં કાર્યરત છે દુધધારા ડેરી, દિવાળીના તહેવારોના પગલે દૂધના વેચાણ પર અસર, દુધના વેચાણમાં થયો ઘટાડો.

દિવાળીના તહેવારોના પગલે ભરૂચમાં દૂધના વેચાણ પર અસર જોવા મળી હતી.સામાન્ય દિવસો કરતા દૂધના વેચાણમાં 5,000 લિટરનો ઘટાડો નોંધાયો હતો. પ્રકાશના પર્વ દિવાળીની અદમ્ય ઉત્સાહ અને  ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી.દિવાળીના તહેવારોમાં ઘણા લોકો બહાર હરવા ફરવા જતા હોય છે તો બીજી તરફ શ્રમિક વર્ગ પણ પોતાના વતન જતો હોય છે.
ત્યારે દૂધના વેચાણમાં પણ અસર જોવા મળી હતી.ભરૂચમાં કાર્યરત દૂધધારા ડેરી સામાન્ય દિવસોમાં દૂધ-દહીં-છાસ અને અન્ય ઉત્પાદનો મળી 1.50 લાખ લીટરનું વેચાણ કરે છે પરંતુ દિવાળીના દિવસોમાં દૂધના વેચાણમાં ઘટાડો થયેલો જોવા મળી રહ્યો છે.દિવાળીના દિવસોમાં 1.25 લાખ લીટર દૂધનું વેચાણ થયું હતું.
તો આ તરફ દૂધની વિવિધ પ્રોડક્ટના વેચાણમાં ઘટાડો થયેલો જોવા મળી રહ્યો છે.દિવાળીના દિવસો બાદ શ્રમિકો  પરત ફરતા આ વેચાણમાં ફરી વધારો જોવા મળશે. ભરૂચ અને નર્મદા જિલ્લામાં દુધધારા ડેરીના 70 ડિસ્ટ્રીબ્યુટર અને 1500  રિટેલર પોઈન્ટર છે જ્યાંથી દૂધનું વેચાણ કરવામાં આવે છે.