Connect Gujarat
ગુજરાત

ભરૂચ: જંબુસરના જંત્રાણ વિદ્યા મંદિરમા બોર્ડની પરિક્ષાના સંદર્ભમાં વાલી સંમેલન કાર્યક્રમ યોજાયો

ભરૂચ: જંબુસરના જંત્રાણ વિદ્યા મંદિરમા બોર્ડની પરિક્ષાના સંદર્ભમાં વાલી સંમેલન કાર્યક્રમ યોજાયો
X

જંબુસર તાલુકાના જંત્રાણ ગામમાં આજે બુધવારના રોજ વાલી સંમેલનનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. જેમાં બાળકોના વાલીઓને બોલાવી શિક્ષકોએ આવનારી એસ.એસ.સી બોર્ડની પરીક્ષા માટે બાળકોને એકદમ કડક પગલાં લેવા માટે વાલીઓનું ધ્યાન દોર્યું હતું. આ કાર્યક્રમમાં વિધ્યાર્થીઓને ઇનામ વિતરણ અને પુરસ્કાર આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વાલીઓ, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

જંત્રાણ ગામમાં છેલ્લા દસ વર્ષથી વાલી સંમેલનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. ધોરણ ૧૦ અને ૧૨ જાહેર પરીક્ષાઓના ઉત્કૃષ્ટ પરિણામ માટે વાલીઓને સહયોગ મેળવવા વાલીઓને ગુલાબના પુષ્પથી આવકાર્યા હતા .આરિફ ઠાકોરે સંખ્યા પરિચય આપ્યો હતો અને આચાર્ય રફિક મનસુરીએ શાળાની કાર્યપદ્ધતિ વિશે જણાવ્યુ હતું. વાલીઓને સંતાનોને પ્રત્યે જાગૃત બને તે માટે પ્રેરણાત્મક વાત કરી હતી.

Next Story