ભરૂચ : નંદેલાવમાં પંચાયતની કચેરી અને પ્રવેશદ્વારનું લોકાર્પણ કરાયું
BY Connect Gujarat20 Feb 2020 12:33 PM GMT
X
Connect Gujarat20 Feb 2020 12:33 PM GMT
ભરૂચ તાલુકાના નંદેલાવ ગામમાં
પ્રવેશદ્વાર અને ગ્રામ પંચાયત કચેરીના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો.
નંદેલાવ ગામમાં રૂપિયા ૪.૭૫ લાખના ખર્ચે
મુખ્ય પ્રવેશ દ્વાર અને રૂપિયા ૧૮ લાખના ખર્ચે ગ્રામ પંચાયત કચેરીનું નવ નિર્માણ
કરવામાં આવ્યું છે. આ બંને પ્રકલ્પોનો લોકાર્પણ સમારંભ ગુરૂવારના રોજ યોજવામાં
આવ્યો હતો. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, તાલુકા પંચાયતની કારોબારી સમિતિના
ચેરપર્સન કામીની પંચાલ, ગામના સરપંચ
રતિલાલ ચૌહાણ, તલાટી ભરત
મિશ્રા, ભાજપના
અગ્રણી દિવ્યેશ પટેલ સહિતના મહેમાનો હાજર રહયાં હતાં. ગ્રામજનોની હાજરીમાં બંને
પ્રકલ્પોને લોકોને અર્પણ કરવામાં આવ્યાં હતાં.
Next Story