ભરૂચ : જિલ્લા પંચાયતની છેલ્લી ખાસ સામાન્ય સભા મળી, જુઓ શું થઇ કામગીરી

New Update
ભરૂચ : જિલ્લા પંચાયતની છેલ્લી ખાસ સામાન્ય સભા મળી, જુઓ શું થઇ કામગીરી

કોંગ્રેસ અને બીટીપી શાસિત ભરૂચ જિલ્લા પંચાયતની છેલ્લી ખાસ સામાન્ય સભા મંગળવારના રોજ મળી હતી. જેમાં ભરૂચ જિલ્લામાંથી રાઇટ ટુ એજયુકેશન હેઠળ રીજેકટ કરવામાં આવેલી 1,500 જેટલી અરજીઓ પર સરકાર પુન : વિચાર કરે તે માટે ઠરાવ કરવામાં આવ્યો છે.

રાજયમાં ડીસેમ્બર માસમાં મોટાભાગની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પાંચ વર્ષની ટર્મ પુર્ણ થવા જઇ રહી છે. ભરૂચ જિલ્લા પંચાયતમાં બીટીપી અને કોંગ્રેસના ગઠબંધનની સત્તા છે. કોરોના વાયરસની ગાઇડલાઇનનું પાલન કરીને મંગળવારના રોજ ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ જશુબેન પઢીયારની અધ્યક્ષતામાં મળેલી ખાસ સામાન્ય સભામાં ભરૂચ જિલ્લામાંથી રાઇટ ટુ એજયુકેશન હેઠળ રીજેકટ કરવામાં આવેલી 1,500 જેટલી અરજીઓ પર સરકાર પુન : વિચાર કરે તે માટે ઠરાવ કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લામાં રાઇટ ટુ એજયુકેશન હેઠળ 3 હજાર જેટલી જગ્યાઓ માટે 5 હજાર જેટલી અરજીઓ આવી છે. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અનિલ ભગતે જણાવ્યું હતું કે, ગામડાનો વિદ્યાર્થી પર શિક્ષણ મેળવી શકે તે માટે રીજેકટ થયેલી અરજીઓ પર પુન: વિચાર કરવા માટે રાજય સરકારમાં ઠરાવ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કુલ 13 જેટલા ઠરાવો ઉપર ચર્ચા વિચારણા કરી મંજુર કરાયાં છે. ભરૂચ જિલ્લા પંચાયતની આ છેલ્લી ખાસ સામાન્ય સભા હતી. આ ઉપરાંત બે સમિતિની મુદ્દત પુરી થતાં નવી સમિતિની રચના કરાય છે. 

Read the Next Article

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું રૂટનું નિરીક્ષણ...

 અમદાવાદમાં આગામી તા. 27 જૂન-2025ના યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને 2 દિવસ બાકી છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નેત્રોત્સવ વિધિ બાદ રથયાત્રાના

New Update

તા. 27 જૂનના રોજ ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા

દેશમાં બીજા નંબરની સૌથી મોટી રથયાત્રાની તડામાર તૈયારી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નેત્રોત્સવ વિધિમાં સહભાગી થયા

16 કિમીના રૂટ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફૂટ પેટ્રોલિંગ

રથયાત્રાના રૂટ ઉપર સુરક્ષા વ્યવસ્થા અંગેની સમીક્ષા કરાય

 અમદાવાદમાં આગામી તા. 27 જૂન-2025ના યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને 2 દિવસ બાકી છેત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નેત્રોત્સવ વિધિ બાદ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે રાજ્ય પોલીસ વડા અને શહેર પોલીસ કમિશનર પણ જોડાયા હતા. પોલીસ અધિકારીઓ સાથે ગૃહ રાજ્યમંત્રીએ 16 કિમીના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. આ સાથે જ રથયાત્રા રૂટ પર સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્તની સમીક્ષા કરી હતી. આ અવસરે જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા સહિત મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતુંત્યારે હાલ તો દેશમાં બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ અમદાવાદમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.