ભરૂચ-અંકલેશ્વરમાં આંબેડકર જયંતીની ઉજવણી કરાય, વિવિધ રાજકીય પક્ષ-સંગઠનોએ બાબા સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

ડો. બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજ્યંતિ નિમિત્તે ભરૂચ શહેર તથા જિલ્લામાં વિવિધ રાજકીય પક્ષ સહિતના સંગઠનોએ બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

New Update
ભરૂચ-અંકલેશ્વરમાં આંબેડકર જયંતીની ઉજવણી કરાય, વિવિધ રાજકીય પક્ષ-સંગઠનોએ બાબા સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

ડો. બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજ્યંતિ નિમિત્તે ભરૂચ શહેર તથા જિલ્લામાં વિવિધ રાજકીય પક્ષ સહિતના સંગઠનોએ બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજ્યંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની અધ્યક્ષતામાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિકૃતિ પર અને ત્યાર બાદ ભરૂચ રેલ્વે સ્ટેશન સ્થિત પ્રતિમા પર પણ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ઇન્ડિયા ગઠબંધનન ઉમેદવાર ચૈતર વસાવા વિશેષ હાજર રહી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પી તેમના સ્મરણોને યાદ કર્યા હતા. આ પ્રસંગે શહેર પ્રમુખ હરીશ પરમાર, પ્રવક્તા નાઝુ ફડવાલા, પાલિકાના વિપક્ષના દંડક હમેન્દ્ર કોઠીવાલા, મહિલા પ્રમુખ જ્યોતિ તડવી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ જિલ્લામાં બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે અંકલેશ્વર શહેર રેલવે સ્ટેશન સ્થિત ડો. બાબા સાહેબની પ્રતિમાને વિવિધ રાજકીય પક્ષો, આગેવાનો, સામાજિક કાર્યકરો, સંગઠનો સહિત દલિત સમાજના આગેવાનો દ્વારા ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. આ સાથે જ રેલવે સ્ટેશન સ્થિત ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી માટીએડ ગામ સુધી રેલીનું પણ આયોજન કરાયું હતું. જે રેલીમાં સમાજના આગેવાન ડી.સી.સોલંકી, ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા અને અનિલ ભગત સહિતના આગેવાનો જોડાયા હતા.

Read the Next Article

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વરથી નેત્રંગને જોડતા માર્ગની કામગીરી

  • રૂ.55 કરોડના ખર્ચે માર્ગનું થઈ રહ્યું છે નિર્માણ

  • માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરાય

  • કોર્ટ કેસની પણ ચીમકી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55 કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને  માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.