નૂપુર શર્મા વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે સમસ્ત ભરૂચ જિલ્લા લઘુમતી સમાજમાં રોષ...

તાજેતરમાં જ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્મા દ્વારા ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હજરત મુહમ્મદ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે.

નૂપુર શર્મા વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે સમસ્ત ભરૂચ જિલ્લા લઘુમતી સમાજમાં રોષ...
New Update

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્મા દ્વારા તાજેતરમાં ઈસ્લામ ધર્મ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવતા સમસ્ત ભરૂચ જિલ્લા લઘુમતી સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

તાજેતરમાં જ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્મા દ્વારા ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હજરત મુહમ્મદ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે. આ વિવાદિત નિવેદનને દેશભરના મુસ્લિમ સમુદાયમાં નૂપુર શર્મા વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે સમસ્ત ભરૂચ જિલ્લા લઘુમતી સમાજ દ્વારા પણ નૂપુર શર્માના કૃત્યને સખ્ત શબ્દોમાં વખોડી કઢાયું છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને સમસ્ત ભરૂચ જિલ્લા લઘુમતી સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. એટલું જ નહીં, નૂપુર શર્માના વિવાદિત નિવેદનથી મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાઈ છે. ભારતને હિન્દુ-મુસ્લિમની એકતા અને અખંડિતતાને તોડી આ નિવેદન સમાજમાં રોષ ઉભો કરે છે. જેથી નૂપુર શર્મા અને નવીન જિંદાલ વિરુદ્ધ આઈપીસીની કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા તેમજ સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

#Muslim community #protests #Nupur Sharma #Statements #BeyondJustNews #Bharuch Collector #Connect Gujarat #Bharuch
Here are a few more articles:
Read the Next Article