Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : ભાંગવાડના નવી વસાહત નજીકથી જુગાર રમતા 8 જુગારીયાઓ ઝડપાયા, રૂ. 24 હજારનો મુદ્દામાલ જપ્ત

પોલીસે સ્થળ પરથી રોકડા 11 હજાર અને 5 મોબાઈલ ફોન મળી કુલ 24 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

અંકલેશ્વર : ભાંગવાડના નવી વસાહત નજીકથી જુગાર રમતા 8 જુગારીયાઓ ઝડપાયા, રૂ. 24 હજારનો મુદ્દામાલ જપ્ત
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસે ભાંગવાડ વિસ્તારમાં આવેલ નવી વસાહત સ્થિત મેલડી માતાજીના મંદિર નજીક જુગાર રમતા 8 જુગારીયાઓને રૂ. 24 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો, તે દરમ્યાન બાતમી મળી હતી કે, ભાંગવાડ વિસ્તારમાં આવેલ નવી વસાહત સ્થિત મેલડી માતાજીના મંદિર સામે શેરીમાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 11 હજાર અને 5 મોબાઈલ ફોન મળી કુલ 24 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ જુગાર રમતા ડબ્બી ફળિયામાં રહેતા 8 જુગારીઓને ઝડપી પાડ્યા હતા.

Next Story