અંકલેશ્વર: ફાયનાન્સની ઓફિસમાં ચોરીનો પ્રયાસ,તસ્કરો બાજુની દુકાનમાં બાકોરું પાડી અંદર પ્રવેશ્યા

મુથુટ ફાયનાન્સની ઓફિસની બાજુની દુકાનમાં બાકોરા વાટે ઓફિસમાં પ્રવેશ કરી ચોરી કરવાનો પ્રયાસ કરી પોલીસને પડકાર ફક્યો છે

New Update
અંકલેશ્વર: ફાયનાન્સની ઓફિસમાં ચોરીનો પ્રયાસ,તસ્કરો બાજુની દુકાનમાં બાકોરું પાડી અંદર પ્રવેશ્યા

અંકલેશ્વર-ભરૂચ જુના નેશનલ હાઇવે ઉપર રાજકમલ આર્કેટમાં આવેલ મુથુટ ફાયનાન્સની ઓફિસની બાજુની દુકાનમાં બાકોરા વાટે ઓફિસમાં પ્રવેશ કરી ચોરી કરવાનો પ્રયાસ કરી પોલીસને પડકાર ફક્યો છે અંકલેશ્વર-ભરૂચ જુના નેશનલ હાઇવે ઉપર રાજકમલ આર્કેટ સ્થિત મુથુટ ફાયનાન્સની ઓફીસ આવેલ છે જે ઓફિસને ગતરોજ રાતે તસ્કરોએ નિશાન બનાવી છે તસ્કરોએ બાજુની દુકાનનું શટર તોડી દુકાનની દીવાલમાં બાકોરુ બનાવી ફાઈનાન્સની ઓફિસમાં પ્રવેશ કર્યો હતો અને ઓફિસમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો

" max-width="100%" class="video-element note-video-clip" height="360">

જો કે તસ્કરોના હાથે કઈ પણ નહિ લાગતા તેઓ વિલા મોઢે પરત ફર્યા હતા તસ્કરો દીવાલ તોડ્યા બાદ પોતાના સાધનો પણ લેવા રહ્યા નથી ચોરી અંગે મુથુટ ફાયનાન્સ કંપનીના અધિકારી ઉત્પલ પ્રભુનાથ પાંડેએ અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે.

Read the Next Article

અમદાવાદ દુર્ઘટનામાં ભરૂચના 3 મુસાફરો પ્લેનમાં સવાર હતા, કલેકટર ગૌરાંગ મકવાણાએ કરી પુષ્ટી

અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ભરૂચના ત્રણ મુસાફરો પણ પ્લેનમાં સવાર હોવાની માહિતી બહાર આવી રહી છે.વહીવટી તંત્ર દ્વારા આ મુસાફરોના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે

New Update
  • અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના

  • લંડન જઈ રહ્યું હતું વિમાન

  • ભરૂચના 3 મુસાફરો પણ હતા સવાર

  • વહીવટી તંત્રએ કરી પુષ્ટી

  • જંબુસર- ભરૂચના 3 લોકોનો સમાવેશ

અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ભરૂચના ત્રણ મુસાફરો પણ પ્લેનમાં સવાર હોવાની માહિતી બહાર આવી રહી છે.વહીવટી તંત્ર દ્વારા આ મુસાફરોના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે
અમદાવાદથી લંડન ગેટવિક જતી ફ્લાઇટ AI171 આજે ટેકઓફ પછી અકસ્માતનો ભોગ બની હતી.અમદાવાદથી બપોરે 1. 38 વાગ્યે ઉપડેલી આ ફ્લાઇટમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યો હતા. આમાંથી 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકો હતા.ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજે આ દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં જિલ્લાના 5 લોકો હોવાની પુષ્ટિ આપી હતી. આ તરફ ભરૂચ કલેકટર ગૌરાંગ મકવાણાએ ટેલિફોનિક વાતચીતમાં ભરૂચના 3 મુસાફરો હોવાની અને બે મુસાફરો સાંસરોદના હોવાની પુષ્ટિ કરી છે. ભરૂચનું તંત્ર આ મુસાફરોના પરિવારોનો સંપર્ક કરી રહ્યું છે.
ભરૂચ જિલ્લાના 5 મુસાફરોના બહાર આવેલા નામોમાં જંબુસરના પટેલ સાહિલ , ભરૂચના પટેલ અલ્તાફ હુસેન, સાંસરોદના તાજુ હુસેના , તાજુ આદમ અને ભરૂચના સાજેદા મીસ્તર કાવીવાલાનો સમાવેશ થાય છે.પ્લેનમાં સવાર પૈકી પટેલ અલ્તાફહુસેન તેમના સાસુ તાજુ હુસેના અને સસરા તાજુ આદમ સાથે લંડન જઈ રહ્યા હતા. યુકે સ્થાયી થયેલ પરિવારના ત્રણ લોકો ઈદ મનાવી પરત જઈ રહ્યા હતા તે દરમ્યાન આ દુર્ઘટના સર્જાય હતી.