અંકલેશ્વર : કનેકટ ગુજરાત ન્યુઝ ચેનલના કાર્યાલયમાં શ્રીજીની સ્થાપના, જુઓ વિડીયો

કનેકટ ગુજરાત કાર્યાલયમાં દુંદાળાદેવનું આગમન, શાસ્ત્રોકત વિધિથી શ્રીજી પ્રતિમાની કરાઇ સ્થાપના.

New Update
અંકલેશ્વર : કનેકટ ગુજરાત ન્યુઝ ચેનલના કાર્યાલયમાં શ્રીજીની સ્થાપના, જુઓ વિડીયો

અંકલેશ્વરના વાલીયા રોડ પર આવેલાં હેકઝોન આર્કેડ સ્થિત કનેકટ ગુજરાત ન્યુઝ ચેનલના કાર્યાલયમાં ગણેશ ચતુર્થીના પાવન દિવસે દુંદાળા દેવની શાસ્ત્રોકત વિધિથી સ્થાપના કરવામાં આવી છે.

સમગ્ર ભારત દેશમાં ગણેશ મહોત્સવની ભકિતસભર માહોલમાં ઉજવણી કરવામાં આવે છે ત્યારે શુક્રવારે ગણેશ ચતુર્થીના પાવન અવસરે અંકલેશ્વર સ્થિત કનેકટ ગુજરાત ન્યુઝ ચેનલના કાર્યાલયમાં પણ દુંદાળા દેવની સ્થાપના કરવામાં આવી છે. વૈદિક મંત્રોચ્ચાર સાથે ગણપતિ બાપ્પાની સવારી આવી પહોંચી હતી. આ પ્રસંગે આયોજીત ધાર્મિક વિધિમાં કનેકટ ગુજરાત પરિવારના કરણ જોલી, યોગેશ પારીક તથા અન્ય સભ્યો હાજર રહયાં હતાં. ભકિતસભર માહોલમાં ગણેશ સ્થાપનાની વિધિ સંપન્ન થઇ હતી.

Read the Next Article

ભરૂચ : આમોદ નેશનલ હાઇવે નં.64 પર આર.ટી.ઓ.ની તપાસથી ટ્રક ચાલકોમાં ફફડાટ

આમોદ નજીકના નેશનલ હાઇવે નં.64 પર ભરૂચ આર.ટી.ઓ. વિભાગ દ્વારા આજ રોજ ઓવરલોડ તેમજ કાગળ વિના દોડી રહેલા વાહનો સામે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી

New Update
guj amod

90,000 રૂપિયાનો દંડ વસુલાયો, ઓવરલોડ અને બિનકાયદેસર વાહનો પર કાર્યવાહી

આમોદ નજીકના નેશનલ હાઇવે નં.64 પર ભરૂચ આર.ટી.ઓ. વિભાગ દ્વારા આજ રોજ ઓવરલોડ તેમજ કાગળ વિના દોડી રહેલા વાહનો સામે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આર.ટી.ઓ.ઇન્સ્પેક્ટર એમ.પી. ડાયમાની આગેવાની હેઠળ આ તપાસ દરમિયાન કુલ રૂ. 90,000 જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો.

આ માર્ગ પરથી દિવસ-રાત ભારે વાહનો પસાર થાય છે, જેમાં ખાસ કરીને નમક (મીઠું), રેતી અને હઝાર્ડ વેસ્ટ ભરેલ ટ્રકોનો સમાવેશ થાય છે. ઓવરલોડ અને સુરક્ષા નિયમોની અવગણનાથી અકસ્માતોની સંભાવના વધતી હોવાથી આર.ટી.ઓ. દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.તપાસની માહિતી વાયુવેગે ફેલાતા કેટલાય ટ્રક ચાલકોએ પોતાની ઓવરલોડ વાહનો રસ્તા કિનારે ઊભા રાખી દિધા હોવાની વિગતો સામે આવી છે. રાત્રિના સમયે દહેજ તરફ જતા મીઠું ભરેલ ટ્રકો અને હઝાર્ડ વેસ્ટવાળા વાહનો ગંભીર જોખમ ઊભું કરે છે, કારણ કે કેટલાક વાહનોમાંથી પ્રવાહી રોડ પર સરકે છે, જેને લીધે અકસ્માતોની ઘટનાઓ સર્જાઈ છે.તદુપરાંત, કરજણથી વહેલી સવારે પસાર થતી રેતી ભરેલી ટ્રકોમાં યોગ્ય કવરિંગ ન હોવાને કારણે રેતી ઉડીને પાછળ આવતા બાઈક સવારોને આંખમાં વળગી જાય છે. રાત્રી દરમિયાન કેટલીક ટ્રકોની લાઈટો પણ બંધ હોવાના કારણે માર્ગ પર અકસ્માતનો ભય વધ્યો છે.