અંકલેશ્વર : કનેકટ ગુજરાત ન્યુઝ ચેનલના કાર્યાલયમાં શ્રીજીની સ્થાપના, જુઓ વિડીયો
કનેકટ ગુજરાત કાર્યાલયમાં દુંદાળાદેવનું આગમન, શાસ્ત્રોકત વિધિથી શ્રીજી પ્રતિમાની કરાઇ સ્થાપના.
BY Connect Gujarat10 Sep 2021 1:11 PM GMT
X
Connect Gujarat10 Sep 2021 3:29 PM GMT
અંકલેશ્વરના વાલીયા રોડ પર આવેલાં હેકઝોન આર્કેડ સ્થિત કનેકટ ગુજરાત ન્યુઝ ચેનલના કાર્યાલયમાં ગણેશ ચતુર્થીના પાવન દિવસે દુંદાળા દેવની શાસ્ત્રોકત વિધિથી સ્થાપના કરવામાં આવી છે.
સમગ્ર ભારત દેશમાં ગણેશ મહોત્સવની ભકિતસભર માહોલમાં ઉજવણી કરવામાં આવે છે ત્યારે શુક્રવારે ગણેશ ચતુર્થીના પાવન અવસરે અંકલેશ્વર સ્થિત કનેકટ ગુજરાત ન્યુઝ ચેનલના કાર્યાલયમાં પણ દુંદાળા દેવની સ્થાપના કરવામાં આવી છે. વૈદિક મંત્રોચ્ચાર સાથે ગણપતિ બાપ્પાની સવારી આવી પહોંચી હતી. આ પ્રસંગે આયોજીત ધાર્મિક વિધિમાં કનેકટ ગુજરાત પરિવારના કરણ જોલી, યોગેશ પારીક તથા અન્ય સભ્યો હાજર રહયાં હતાં. ભકિતસભર માહોલમાં ગણેશ સ્થાપનાની વિધિ સંપન્ન થઇ હતી.
Next Story