અંકલેશ્વર : અમરાવતી ખાડીમાં વધુ એકવાર અસંખ્ય માછલીના મોત, બે’જવાબદાર ઉદ્યોગો સામે ગ્રામજનોમાં રોષ...

અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામની સીમમાંથી પસાર થતી અમરાવતી ખાડીમાં અસંખ્ય જળચરોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે

New Update
અંકલેશ્વર : અમરાવતી ખાડીમાં વધુ એકવાર અસંખ્ય માછલીના મોત, બે’જવાબદાર ઉદ્યોગો સામે ગ્રામજનોમાં રોષ...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામની સીમમાંથી પસાર થતી અમરાવતી ખાડીમાં અસંખ્ય જળચરોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે, ત્યારે ઉદ્યોગો દ્વારા કેમિકલયુક્ત દુષિત પાણી ખાડીમાં ઠલવાતું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે.

અંકલેશ્વર તાલુકાના દઢાલ, જીતાલી અને ઉછાલી ગામની સીમમાંથી અમરાવતી ખાડી પસાર થાય છે. જે ખાડીમાં સમયાંતરે કેમિકલયુક્ત પાણી ભળવાથી અસંખ્ય જળચરોના મોત નીપજતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવી ચૂક્યા છે, ત્યારે ફરી એકવાર અમરાવતી ખાડીમાં અસંખ્ય જળચરોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં બેજવાબદાર ઉદ્યોગો દ્વારા કેમિકલયુક્ત દુષિત પાણી ખાડીમાં ઠલવાતું હોવાના અનુમાન સાથે ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે.

જોકે, હાલ વરસાદની ઋતુનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે ખાડી કે, નાળામાં વહેતા નીરની આડમાં બેજવાબદાર ઉદ્યોગો પ્રદુષિત પાણી ઠાલવી રહ્યા હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. સમગ્ર મામલે પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિકોએ અનેકવાર GPCBમાં રજૂઆત કરી છે. પરંતુ તંત્રની ઉદાસીનતાના પગલે જળચરોના મોત નીપજી રહ્યા છે. જેના કારણે ગ્રામજનોમાં પણ રોષ ફેલાઈ રહ્યો છે, ત્યારે હવે તંત્ર દ્વારા બેજવાબદાર ઉદ્યોગો સામે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી છે.

Read the Next Article

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય, દેશપ્રેમના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

તિરંગા યાત્રાનું આયોજન

આગેવાનો અને કાર્યકરો જોડાયા

દેશભક્તિના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા.ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો.
Latest Stories