Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: ઝઘડીયા જી.આઈ.ડી.સીને જોડતા માર્ગની તકલાદી કામગીરીને પગલે ઉદ્યોગકારોનો વિરોધ

અંકલેશ્વરના સાગબારા ફાટક પાસેથી જી.આઈ.ડી.સીને જોડતા માર્ગની તકલાદી પેચવર્કની કામગીરી અટકાવી ઉદ્યોગકારો રસ્તા રોકો આંદોલન કરી વિરોધ નોંધાવ્યો હતો.

X

અંકલેશ્વરના સાગબારા ફાટક પાસેથી જી.આઈ.ડી.સીને જોડતા માર્ગની તકલાદી પેચવર્કની કામગીરી અટકાવી ઉદ્યોગકારો રસ્તા રોકો આંદોલન કરી વિરોધ નોંધાવ્યો હતો.

છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરના સાગબારા ફાટક પાસેથી જી.આઈ.ડી.સીને જોડતા માર્ગ ઉપર મસમોટા ખાડાઓને પગલે ભારદારી વાહન ચાલકો હેરાન પરેશાન બની ગયા છે.આ વાહન ચાલકો અને માલિકોએ ઝઘડીયા જી.આઈ.ડી.સી.માં બિસ્માર માર્ગને લઈ માલ-સામાન લઈ જવાનો નન્નો ભણી દીધો છે.જેને પગલે સ્થાનિક ઉદ્યોગકારોએ આ અંગે કલેકટર કચેરીએ રજૂઆત કરી હતી જે રજૂઆતને ધ્યાનમાં રાખી હાલ કામ ચલાઉ પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે.ત્યારે આ કામગીરી તકલાદી હોવાને પગલે ઉદ્યોગકારોએ રસ્તા રોકો આંદોલન કરી પેચવર્કની કામગીરી અટકાવી વિરોધ નોધાવ્યો હતો અને જે આર.સી.સી. માર્ગ મંજૂર થયેલ છે તે વહેલી તકે બનાવવાની માંગ કરી હતી.રસ્તા રોકો આંદોલનને પગલે પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને આંદોલનકારીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.રસ્તા રોકો આંદોલનને પગલે માર્ગ ઉપર ટ્રાફિકજામ સર્જાયો હતો.જો કે પોલીસે ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.

Next Story