અંકલેશ્વર: અકસ્માતો બાદ નગર સેવા સદન દ્વારા રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરાય

અંકલેશ્વર સહિત સમગ્ર રાજયમાં રખડતાં પશુઓનો ત્રાસ જોવા મળી રહયો છે ત્યારે નગરપાલિકાએ પશુઓ પકડવાની ઝૂંબેશ હાથ ધરી છે.

New Update
અંકલેશ્વર: અકસ્માતો બાદ નગર સેવા સદન દ્વારા રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરાય

અંકલેશ્વર સહિત સમગ્ર રાજયમાં રખડતાં પશુઓનો ત્રાસ જોવા મળી રહયો છે ત્યારે નગરપાલિકાએ પશુઓ પકડવાની ઝૂંબેશ હાથ ધરી છે.

અંકલેશ્વર સહિત સમગ્ર રાજયમાં રખડતાં પશુઓનો ત્રાસ જોવા મળી રહયો છે ત્યારે તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટે મહાનગરોના અધિકારીઓનો ઉઘડો લીધો હતો. આ ઘટના બાદ સફાળી જાગેલી અંકલેશ્વર નગરપાલિકાએ પશુઓ પકડવાની ઝૂંબેશ હાથ ધરી પશુઓને પાંજરે પુર્યા છે. શહેરના મુખ્ય માર્ગ સહિતના વિસ્તારોના માર્ગો પર રખડતા અને અડિંગો જમાવીને બેસેલા પશુઓને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. દર ચોમાસામાં રખડતા પશુઓનો ત્રાસ હોવા છતાં તંત્ર તેના નિવારણમાં સંપૂર્ણ નિષ્ફળ નીવડયું છે.ગત વર્ષે પાલિકાએ રખડતા પશુઓનો સર્વે કરાવી માલિકોને તેમના પશુઓને રખડતા નહિ મુકવા તાકીદ કરી હતી પણ અસરકારક કાર્યવાહી નહિ થતાં રખડતા ઢોરોનો ત્રાસ જોવા મળી રહયો છે.માર્ગો પર બેસી રહેતાં પશુઓ અકસ્માતનું કારણ બની રહયાં છે. હાઇકોર્ટની ફટકાર બાદ અંકલેશ્વર પાલિકાએ પશુઓને પાંજરે પુરવાની કામગીરી હાથ ધરી છે

Read the Next Article

ભરૂચ : અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે મોત, પોલીસે તપાસ આરંભી...

કાર ચાલકે બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતા, જેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું

New Update
  • અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત

  • કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત

  • કાર ચાલકે બાઈક સવાર યુયાવ્કને અડફેટે લેતા કરૂણ મોત

  • સ્થળ પર પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું

  • પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ કરી 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસારભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી ઝઘડિયાને જોડતા મુખ્ય માર્ગની કામગીરી ચાલી રહી છે. આ વચ્ચે ઉછાલી નજીક નાના પુલીયા તેમજ એપ્રોચ રોડની ચાલતી કામગીરીના પગલે માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. એટલું જ નહીંદઢાલ બ્રિજ પર પડેલા મસમોટા ખાડા અકસ્માતનું નિમિત્ત બની રહ્યા છે.

તેવામાં આજરોજ અંકલેશ્વરના ઉછાલી ગામ નજીક ભારત પેટ્રોલિયમ પાસે ઉછાલી ગામના રણુજા ફાર્મમાં રહેતા 36 વર્ષીય શ્રમિક રાજુભાઈ ચખલીયા બાઈક પર ઉછાલી નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમ્યાન કાર ચાલકે બેફિકરાઈ ભરી રીતે ખાડે ગયેલા રોડ પર પણ પૂરપાટ આવતા બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતાજેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતાં જ પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતાજ્યાં પરિવારજનો હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની છવાય હતી. ઘટના અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલેખનીય છે કેમાર્ગના નવીનીકરણ વચ્ચે વરસાદના પગલે માર્ગ વધુ બિસ્માર બન્યો છેજેથી વાહન ચાલકો ખાડામાં પટકાઈને અકસ્માતને ભેટી રહ્યા છેત્યારે મંથર ગતિએ ચાલતા રોડના નવીનીકરણ અને પુલની કામગીરીને લઇ લોકોમાં રોષ ફેલાયો છે.