Connect Gujarat
ભરૂચ

ભરૂચ : આમોદના કેરવાડા ગામે 2 અલગ અલગ બનાવમાં મહિલા અને પુરૂષનું ઝેરી દવાની અસરથી મોત...

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કેરવાડા ગામે એક મહિલા અને પુરૂષે ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું હતું

ભરૂચ : આમોદના કેરવાડા ગામે 2 અલગ અલગ બનાવમાં મહિલા અને પુરૂષનું ઝેરી દવાની અસરથી મોત...
X

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કેરવાડા ગામે એક મહિલા અને પુરૂષે ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું હતું, ત્યારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચના આમોદ તાલુકાના કેરવાડા ગામે એક પુરુષ અને એક મહિલાએ દોઢ કલાકના અંતરમાં ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવી દેતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આમોદ પોલીસે બન્ને મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરાવી આગળની તપાસ હાથ ધરી હતી. આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કેરવાડા ગામે રહેતી 22 વર્ષીય આરતી મહેશ રાઠોડ ગતરોજ સાંજના 6 કલાકે પોતાના ઘરે કપાસમાં છાંટવાની દવા ભૂલથી પી લીધી હતી. ત્યારબાદ તેને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવી હતી, જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આરતી રાઠોડના લગ્નને હજુ થોડા વર્ષો જ થયા હોય જેની તપાસ જંબુસરના નાયબ પોલીસ અધીક્ષક પી.એલ.ચૌધરી ચલાવી રહ્યા છે. તેમજ તેનું આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પેનલ પોસ્ટમોર્ટમ કરાવી પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. તો બીજી તરફ, કેરવાડા ગામમાં જ રહેતા 28 વર્ષીય સુનીલ દિનેશ રાઠોડ ગતરોજ ખેતરમાં દવા છાંટવા ગયો હતો. જે સાંજે ઘરે આવ્યો હતો. જેને વધારે ભૂખ લાગતા હાથ ધોયા વગર જ જમવા બેસી ગયો હતો. જેથી ખેતરમાં છાંટવાની દવા લાગી જવાથી તેનું મોત થયું હતું. આમોદ પોલીસે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સુનીલ રાઠોડનું પોસ્ટમોર્ટમ કરાવી અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

Next Story