ભરૂચ : મક્તમપુરમાં સ્મશાનની બાજુમાં બિલ્ડર દ્વારા ઇમારત નિર્માણના એંધાણ વચ્ચે આદીવાસી સમાજનું તંત્રને આવેદન...

ભરૂચના મકતમપુર ગામની સીમમાં 52 ગામ આદીવાસી સમાજના સ્મશાનની બાજુમાં બિલ્ડર દ્વારા ઇમારતના નિર્માણ સાથે વૈકલ્પિક રસ્તો બનાવી રહ્યા હોય જેથી આદિવાસી સમાજમાં રોષ ફેલાયો છે.

New Update
ભરૂચ : મક્તમપુરમાં સ્મશાનની બાજુમાં બિલ્ડર દ્વારા ઇમારત નિર્માણના એંધાણ વચ્ચે આદીવાસી સમાજનું તંત્રને આવેદન...

ભરૂચના મકતમપુર ગામની સીમમાં 52 ગામ આદીવાસી સમાજના સ્મશાનની બાજુમાં બિલ્ડર દ્વારા ઇમારતના નિર્માણ સાથે વૈકલ્પિક રસ્તો બનાવી રહ્યા હોય જેથી આદિવાસી સમાજમાં રોષ ફેલાયો છે. આ મામલે ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે આદીવાસી સમાજે આવેદન પત્ર આપી કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ભરૂચ જિલ્લાના 52 ગામના આદિવાસી સમાજના લોકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ કલેક્ટર કચેરી ખાતે પાઠવેલા આવેદન પત્રમાં જણાવ્યું હતું કે, કસક-મક્તમપુર ગામની સીમ ખાતે સર્વે નં 11 ઉપર 52 ગામ આદિવાસી સમાજનું સ્મશાન અસ્તિત્વમાં છે. આ સ્મશાનની અંદર ભરૂચ શહેર તથા આજુબાજુના 52 જેટલાં ગામડાઓના આદિવાસી પરિવારો તેમના સ્વજનોની અંતિમ ક્રિયા આ જ સ્મશાન ગૃહમાં કરે છે. પરંતુ છેલ્લા કેટલા દિવસોથી સ્મશાનની બાજુમાં આવેલા જમીનમાં કોઈ બિલ્ડર દ્વારા JCB મશીનથી જમીન લેવલિંગનું કાર્ય શરૂ કરવામાં આવ્યુ છે, જ્યાં ભવિષ્યમાં મોટી હાઈ રાઈઝ બિલ્ડીંગ બાંધવાનું કામ શરૂ થવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે.

જોકે, ભવિષ્યમાં આવી માનવ વસાહતનું નિર્માણ થાય તો તેની અવર-જવર માટે બીજો કોઈ માર્ગ હાલ ઉપલબ્ધ નથી. જેથી બિલ્ડર દ્વારા આદિવાસી સ્મશાનની અંદરથી વૈકલ્પિક રસ્તો મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ માલુમ પડ્યું છે. જેથી બિલ્ડર દ્વારા જે રસ્તાની માંગણી કરવામાં આવી છે, ત્યાં આદિવાસી પરિવારના સ્વજનોની સમાધિ હાલમાં અસ્તિત્વમાં છે, અને બિલ્ડર આ સમાધિ દૂર કરી રસ્તો મેળવવાની સ્પષ્ટ મનસામાં હોય તેમ લાગી રહ્યું છે. જેથી બિલ્ડર દ્વારા આવી કોઈ અરજ કોઈ કચેરીએ થઈ હોય તો તેની પરવાનગી મંજૂર કરવામાં ન આવે અને જો પરવાનગી આપી હોય તો તેને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે તેવી આદિવાસી સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે.

Latest Stories
Read the Next Article

ભરૂચ : નંદેલાવ બ્રિજ નીચે કેમિકલ ભરેલું કન્ટેનર પિલર સાથે ધડાકાભેર અથડાતા મંગલદીપ સોસાયટીની દિવાલ તૂટી

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી

New Update
  • નંદેલાવ બ્રિજ પાસે સર્જાયો અકસ્માત

  • બેલગામ કન્ટેનર બ્રિજના પિલરમાં ભટકાયું

  • પિલર બાદ મંગલદીપ સોસાયટીમાં પણ અથડાયું

  • સોસાયટીના મંદિરની દીવાલ તૂટતા નુકસાન

  • જાનહાની ટળતા લોકોએ લીધો રાહતનો શ્વાસ

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી.
 
ભરૂચ દહેજ બાયપાસ માર્ગ પર નંદેલાવ પાસે નવા બ્રિજ નીચે ગુરુવારે એક ગંભીર અકસ્માત થયો હતો. હજીરા અદાણીથી કેમિકલ ભરેલું કન્ટેનર દહેજ સ્થિત મેઘમણી કંપનીમાં જઈ રહ્યું હતું. એ દરમિયાન કન્ટેનર ચાલકનો સ્ટિયરિંગ પર નિયંત્રણ ખોરવાતા કન્ટેનર સીધું નવા પિલરને અથડાઈને સીધુ મંગલદીપ સોસાયટીની મંદિરે જોડાયેલી કમ્પાઉન્ડ વોલમાં ટકરાયું હતું.

આ અકસ્માતમાં બ્રિજના પિલર સાથે સાથે મંદિરની દિવાલને પણ ગંભીર નુકસાન થયું હતું. જોકે, ઘટના દરમિયાન કોઈપણ જાતની જાનહાની ન પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કન્ટેનરનો ચાલક દ્વારા કન્ટેનરને બેલગામ દોડાવવામાં આવી રહ્યું હતું.ઘટનાના પગલે સ્થળ પર તાત્કાલિક ફાયર વિભાગ તથા પોલીસ દોડી આવી હતી. ભારે વજનના કેમિકલ ભરેલા કન્ટેનરને સ્થળ પરથી દૂર કરવા ત્રણ હાઇડ્રાની મદદ લેવાઈ હતી. લાંબા સમય બાદ માર્ગ પર સર્જાયેલો ટ્રાફિક પુનઃ રાબેતા મુજબ થયો હતો.મંગલદીપ સોસાયટીના પ્રમુખ જીતુ  પ્રજાપતિએ જણાવ્યું હતું કે,કન્ટેનર અમારા મંદિરની દીવાલ તોડી ઘૂસી ગયું હતું. સદનસીબે કોઈ વ્યક્તિ ત્યાં નહોતી. પરંતુ આવી ઘટનાઓથી ભવિષ્યમાં વધુ ગંભીર પરિસ્થિતિ ઉભી ન થાય એ માટે પગલાં લેવા જરૂરી છે.
Latest Stories